Wednesday, March 22, 2017

મારી લાગણી ઘણીવાર એની ક્રિએટિવિટીમાં નીખરે છેઃ પિંકી શિશિર રામાવત

સર્જકના સાથીદાર

જ્યોતિ ઉનડકટ

Khbarchee.com - 23-03-2017

મારા ગર્ભમાંથી જે લઈને આવ્યો હતો  પણ આજે એના બાલમોવાળા ઉતર્યાં એની સાથેઉતરી ગયું.’ આંખો સામે દીકરા શાંતનુની બાબરી ઉતરવાની વિધિ થઈ રહી હતીપિંકીનીઆંખોમાં ચોમાસુ ઊભરી આવ્યું હતું.

ડિટ્ટો આવો  સીન વાંચ્યો છેને!

શિશિર રામાવતના હાથે લખાયેલી નવલકથામાં?

જી હાફીલિંગ હતી પત્ની પિંકીનીએની  અનુભૂતિને શિશિર રામાવતે પોતાની નવલકથામાં બખૂબી ઉતારી છે. ‘ચિત્રલેખામાં છપાયેલી ધારાવાહિકનવલકથા ‘મને અંધારા બોલાવે મને અજવાળા બોલાવે’.  નવલકથાની નાયિકા નિહારિકાના દીકરાની બાબરીના દિવસે એની જે લાગણી છે એનું બીજતો પિંકીના અનુભવ સાથે  રોપાઈ ગયું હતું.

પોતાના દીકરાની બાબરી ઉતારવા સમયે શું થયું હતું  વાતને આજે પણ યાદ કરીને પિંકી રામાવતની આંખોના ખૂણાં થોડાં ભીના થઈ જાય છે.

તમે એમ કહોને કે અમે  નવલકથા જીવ્યાં છીએશિશિર અને પિંકી રામાવત  નવલકથાને યાદ કરીને યાદોમાં સરી પડે છેદીકરાની બાબરીનો પ્રસંગહોય કે કથ્થક શીખવતાં ગુરુમાની વાત હોય કેટકેટલીય યાદો અને પ્રસંગો શબ્દતશિશિરભાઈની કલમે  નવલકથામાં ખીલ્યાં હતાં.

મુંબઈમાં વસી ગયેલા પણ મૂળ જામનગરના શિશિર રામાવતની ક્રિએટિવિટીની વાત આજે પિંકીબહેન સાથે કરવી છેપત્નીનો સાથ હોય તોસર્જનાત્મકતાને ખીલવા માટે આકાશ મળી રહે છે તેનું આદર્શ ઉદાહરણ છે રામાવત દંપતીપતિના લેખોનવલકથા વાંચવા માટે પત્નીએ ગુજરાતી શીખ્યુંઅને ગુજરાતીનો પાયો મજબૂત બને  માટે દીકરાએ પોતાની શાળા બદલાવીમાતૃભાષા પ્રત્યેનો આ પરિવારનો અપ્રતિમ લગાવ દિલને સ્પર્શી જાયતેવો છે.

મા-બાપે તો દીકરા શિશિરને એન્જિનિયર બનાવવો હતોપણ દીકરાને શબ્દોનું એન્જિનિયરીંગ કરવું હતુંજ્યાં સુધી શબ્દોનો એને સાથ  મળ્યો ત્યાં સુધીએનો જીવ અંદર કેવો ઘૂંટાતો હશે એની તો કલ્પના  કરવી રહીકેમકેએન્જિનિયરીંગના થોથાં વાંચવાની જગ્યાએ  યુવકને પન્નાલાલ પટેલ.મા.મુનશીચંદ્રકાંત બક્ષી આકર્ષતા હતાંકૉલેજની લાયબ્રેરીમાં ભણવાના પુસ્તકો તરફ પગ વળવાને બદલે કલાકોના કલાકો સુધી ઇતર વાચન વધુઆકર્ષતું હતુંહા સમયે તો એમના માટે  ઈતર વાચન  હતુંત્યારે તો  યુવકને પણ ખબર  હતી કે ઈતર વાચન એક દિવસ આજીવિકાબની રહેશે.

વડોદરામાં આજે તો ઘણાં ફલાય ઓવર બની ગયા છેપણ શિશિર રામાવત જ્યારે વડોદરા અભ્યાસ માટે આવેલાં ત્યારે ત્યાં એક  ફલાય ઓવર હતોશાસ્ત્રી બ્રિજ કે પોલિટેકનિકનો બ્રિજ બ્રિજની નીચેથી રોજ અનેક ટ્રેન પસાર થતી. ‘રોજ આત્મહત્યા કરવાનો વિચાર આવતોપણ કોઈ કારણોસર બ્રિજપરથી પડતું  મૂકી શકતો.’ પત્નીના સાથ અને સહકારની વાત કરતાં પહેલાં શિશિરભાઈ  વાત કહેવાનું ચૂકતા નથી. ‘ફૂલછાબના તંત્રી કૌશિકમહેતાએ પુસ્તકનું સંપાદન કર્યું છે, ‘લખવું એટલે કે...’ જેમાં શિશિરભાઈએ ખૂબ  નિખાલસતાથી પોતાના મનને જે નેગેટિવ વિચારો ઘેરી વળતાં તેનીવાત લખી છેસફળ થઈ ગયા પછી પોતાના  ભૂતકાળની નેગેટિવ વાતો વ્યક્ત કરવા માટે પણ હિંમત જોઈએ એવું લાગે છે.

પોતાના નકારાત્મક વિચારોને ડાયરીના પાને ટપકાવી લેવાથી બીજે દિવસે જીવવાની હિંમત મળી જતીનેગેટિવ વિચારો ઘેરી વળતાં  પાનાંઓને હવેસ્ટેપલર પીનથી ભેગાં કરી દીધાં છેએવા ભીડી દીધાં છે કે શબ્દો મનને પણ હવે સ્પર્શે નહીંઆજે પણ ડાયરી લખે છેપણ નિયમિત રીતે નથી લખીશકાતીકૉલેજના  દિવસોમાં જીવ અંદર સોસવાતો હતોડાયરીના પાના પરથી બહાર નીકળીને માતા-પિતાને સંબોધીને એક લાંબો કાગળ લખ્યોજેમાંખોટા ફિલ્ડમાં આવી ગયાની વેદનાને શિશિરભાઈએ શબ્દમાં ઉતારીશિશિર રામાવતનું ઓરિજીનલ નામ તો જીતેન છેસ્કૂલના દિવસોમાં એમણે જીતેનરામાવત સાથે ઉપનામ શિશિર એવું લખવાનું શરુ કર્યું અને બાદમાં  નામ અપનાવી લીધુંપિતા તુલસીદાસ વિશે દિલને સ્પર્શી જાય એવો લેખ એમણેપોતાના બ્લોગ ઉપર મૂક્યો છેશિશિરભાઈની એમના  પિતા પ્રત્યેની લાગણી શબ્દોની તાકાત અને અભિવ્યક્તિમાં નીખરી ઊઠી છે.

શિશિરભાઈ કહે છે, ‘મનમાં અનેક સવાલો હતાં પણ મને જે સૂઝ્યું  લેટરમાં લખી નાખ્યું તેનાથી મને બહુ શાંતિ થઈલેટર વાંચીને મમ્મી-પપ્પા વડોદરાઆવી પહોંચ્યામને ઠપકો  આપ્યો પણ મને કહ્યું કેતને જે કરવું હોય તે કરઅમને પહેલેથી કહી દીધું હોત તો અમે તને અહીં ભણવા   મોકલતઆજે પણ મને ઘણી વખત સવાલો થાય છે કેમારા જન્મદાતા મારી વેદનાને કેમ નહોતા સમજતાંપણ હું વ્યક્ત  થાઉં તો ક્યાંથી સમજે  સમજ હુંમોટો થયો ત્યારે આવીક્રિએટિવ ફિલ્ડમાં જવા માટે મારું દિલ થનગનતું હતુંએન્જિનિયરિંગના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા કૂદાવીને મુંબઈ આવી ગયોવડોદરા ભણતો હતો ત્યારે નાની વાર્તાઓ લખતો હતોજે ‘પરબ’ અને ‘કંકાવટીમાં પ્રકાશિત થઈ હતી બે મેગેઝિનમાં તમારા નામ સાથે કંઈ છપાયએટલે જાણે તમારા શબ્દોને આઈએસઆઈનો માર્કો મળી ગયો છે એવો અનુભવ થાય દિવસોમાં  ‘અભિયાનનો હું ફેન બની ગયો. ‘અભિયાનમાંજ્યોતિષ જાનીની નવલકથા છપાતીએમને વડોદરામાં હું મળ્યોએકાદ મુલાકાત પછી એમને મારી લેખન પ્રત્યેની રુચિ અને ગંભીરતા વિશે સમજાયુંતેઓ મારી સાથે મુંબઈ આવ્યાં. ‘જન્મભૂમિ’ અને ‘મુંબઈ સમાચાર’  બંને દૈનિકોની ઓફિસમાં મને મળવા માટે લઈ ગયાં. ‘જન્મભૂમિમાં  દિવસોમાંતરુબહેન કજારિયા સિનિયર પોસ્ટ પર હતાંએમણે મારી વાર્તાઓ વાંચેલીએમણે મારો ઈન્ટરવ્યૂ લીધો અને  પછી બીજાં બે ઈન્ટરવ્યૂ થયાંબેઅઠવાડિયામાં મને ‘જન્મભૂમિમાં નોકરી મળી ગઈ.’

સર્જકના સાથીદારની વાતમાં લેખકની કરિયર વિશે વાત લખવી બહુ  મહત્ત્વની છે આથી  શિશિર રામાવતની કરિયર વિશેની રસપ્રદ વાતો લખી રહીછુંએક સમયે આમ આદમીની જિંદગી જીવતા માણસના લેખો દસ લાખથી વધુ નકલોનું સરક્યુલેશન ધરાવતાં ‘સંદેશ’ દૈનિકના પાના પર આવી રહ્યાં છેએમની લેખક બનવા સુધીની સફર કેવી છે  વાંચવાનું પણ એમના લેખો વાંચવા જેવું  રસપ્રદ છે.

1995ની સાલમાં ‘મિડ ડે’ અને ‘સમાંતર પ્રવાહ’ બંને દૈનિકોની ખૂબ ચર્ચા રહેતી  દિવસોમાં શિશિર રામાવતે ‘જન્મભૂમિ’ ગ્રૂપના પોતાના બોસ કુન્દનવ્યાસને યુથને લગતું એક પાનું ‘હિપ હિપ હુર્રે’ શરુ કરવું જોઈએ  આઈડિયા આપ્યોફક્ત ત્રણ મહિનાની નોકરી બાદ કુન્દનભાઈએ શિશિર રામાવત પરભરોસો મૂક્યો અને એમને એક પાનું આપ્યું પછી તો ‘સમાંતર પ્રવાહ’, ‘ચિત્રલેખા’, ‘મિડ ડે’ અને ‘અભિયાનમાં કામ કર્યું. ‘અહાજિંદગી’ મેગેઝિનમાંપણ ફલક નામની કૉલમ લખી અને સિનિયર પોસ્ટ પર ફરજ બજાવી છે. ‘સંદેશ’ દૈનિકમાં તેમની ધારાવાહિક નવલકથા ‘અપૂર્ણવિરામ’ પણ વાચકોએ વખાણી હતી.

શિશિર રામાવત કહે છે, ‘મારી પહેલી ધારાવાહિક નવલકથા ‘વિક્રાંત’ ‘અભિયાનમાં છપાઈજે ‘અભિયાનને વાચકના પ્રતિભાવ સ્વરૂપે પત્રો લખતો અને  જગ્યાએ હું સંપાદક બન્યો તેનો આનંદ આજે પણ દિલમાં અકબંધ છેસૌથી ગૌરવની વાત તો  હતી કેજે બક્ષી સાહેબને હું એક બેઠકે વાંચતોતેમની સૌથી પહેલી કોપી મને વાંચવા મળતીઘણી વખત તો સ્વપ્નવત્ લાગતી વાત સાચે  જીવાતી હોય છે.'

પોતાનું પત્રકારત્વ અને લખેલી સ્ટોરી  એમની મેટ્રીમોનિયલ એડ બની ગઈશિશિરભાઈના પત્ની પિંકી કહે છે, ‘મરાઠી ચિત્રલેખામાં શિશિરની લખેલીકરિયર કાઉન્સેલીંગ વિશેની સ્ટોરી છપાઈ હતીરામાવત અટક વાંચીને મારા પિતા ઓમપ્રકાશ રામાવતે થોડી વધુ તપાસ કરાવીઅમારા કોમન સંબંધીઓદ્વારા શિશિર અપરિણીત છે  વાત ખબર પડી અને પછી અમે મળ્યાં અને લગ્ન થયાંહું મૂળ તો આકોલી ગામનીશિશિરને મારી તસવીરો મોકલીહતી...’

 વાત ચાલતી હતી ત્યાં  શિશિરભાઈએ કહ્યું, ‘પિંકીની એક તસવીર હતી કથ્થક નૃત્ય કરતી હોય એવી તસવીરે મારું મન મોહી લીધું. ‘મને અંધારાબોલાવે મને અજવાળા બોલાવે’  નવલકથાની નાયિકા નિહારિકાને કથ્થકની ડાન્સર બતાવી હતી કલ્પના પણ પિંકીના કથ્થક ડાન્સ અનેપેશન્સમાંથી  આવી હતી.’

નિહારિકાની વાત નીકળી એટલે તરત  પિંકીબહેન કહે છે, ‘ નવલકથામાં મંદિરા નામનું સફળ પણ થોડું વેમ્પ ટાઈપ પાત્ર હતું પાત્રાલેખન થતું હતુંત્યારે મેં શિશિરને કહેલું કે થોડું ઓવર જાય છેકરોડોની આસામી એવી બિઝનેસવુમન પોતાને ગમતા પુરુષને પામવા માટે એક લેવલથી નીચે જાયઆમાં સુધારો કરો મુદ્દે અમારાં બંને વચ્ચે બહુ  દલીલો થઈ હતીએમ કહોને અમે રીતસર ઝઘડ્યાં હતાંમારી સાચી વાત શિશિર  માને ત્યાંસુધી હું એનો કેડો  મૂકું!’

શિશિરભાઈ કહે છે, ‘તમે એમ લખોને કે નવલકથા અમે જીવ્યા હતાંકેમકેશાંતનુ જ્યારે પિંકીના પેટમાં હતો ત્યારે પિંકીના ઉપસેલાં પેટ ઉપરસોનોગ્રાફીનું મશીન ફરતું હતું અને અમે દીકરાની મુવમેન્ટ જોઈ હતી  લાગણી પણ નવલકથામાં રિફ્લેક્ટ થાય છેનવલકથા અને નાટકો લખું ત્યારે તોમને પિંકીનો પ્રતિભાવ જોઈએ એને વંચાવ્યા વિના આગળ  વધુંવળીકોઈ પ્લોટ મનમાં ઘડાતો હોય ત્યારે પણ અમે ચર્ચા કરીએ.’

અત્યારે શિશિર રામાવાત ‘સંદેશ’ દૈનિકની રવિવારની સંસ્કાર પૂર્તિમાં ‘મલ્ટીપ્લેક્સ’ અને બુધવારની અર્ધ સાપ્તાહિક પૂર્તિમાં ‘ટેક ઓફ’ તથા શુક્રવાનીસિનેમાની પૂર્તિમાં ‘બોલિવૂડ એક્સપ્રેસ’ નામની કૉલમ લખે છેસાથોસાથ ‘ચિત્રલેખામાં વાંચવા જેવું કૉલમ પણ નિયમિત રીતે આવે છેવાંચવા જેવુંકૉલમની વાત નીકળી એટલે તરત  પિંકી રામાવતે પોતાની વાત કહી કે, ‘થોડાં સમય પહેલાં એક લગ્નમાં અમારે જવાનું હતુંહું લગ્નમાં પહોંચી ગઈઅમારાં બંનેના લગ્ન જે વ્યક્તિના કારણે થયાં  વ્યક્તિના પરિવારમાં લગ્નનો પ્રસંગ હતોબધાં   લોકોને ખબર હતી કેશિશિર આવવાના છેહુંએમની રાહ જોતી હતી ત્યાં  એક ટોન સાથે મેસેજ આવ્યો કેસોરી હું લગ્નમાં નહીં આવી શકુંમેં એક બુક વિશે રિવ્યુ લખીને મોકલ્યો હતો, પણ છેલ્લીઘડીએ તંત્રીએ બીજી બુક વિશે રિવ્યુ કરીને મોકલવા કહ્યું છેડેડલાઈન માથા ઉપર છેતું લગ્નમાંથી ફ્રી થઈને તારી રીતે ઘરે આવી જજેમારી હાલત તોરડવા જેવી થઈ ગઈછેવટે  લોકોએ  કહ્યું કે લેખનની દુનિયાના લોકોનું એવું  હોયજવા દે...’

પિંકીબહેન કહે છે, ‘હવે તો શિશિર ઘરે બેસીને  એનું કામ કરે છે. પહેલાં તો ‘મિડ ડેમાં નોકરી કરતાં ત્યારે મધરાતે ઘરે આવતાદીકરા શાંતનુ માટે હવેમને કોઈ ચિંતા નથી રહેતીઘરે એની પૂરતી કાળજી લેવાય અને કોઈ મહેમાન આવ્યા હોય તો પણ તેમનું સચવાઈ રહે છેહું એલઆઈસીમાં નોકરી કરુંછુંબંને નોકરી કરતાં હતાં ત્યારે હું ચાહવા છતાં અને ડિઝર્વ કરતી હોવા છતાં પ્રમોશન નહોતી લેતીશિશિરનો સાથ મળ્યો કે તરત  મેં પ્રમોશન લીધુંઆજે હું આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છું.’

‘મહેમાનોની અવરજવરને કારણે લખવાનું ખોટી થાયડેડલાઈન...’

 વાત પૂરી થાય  પહેલાં  પિંકીબહેન કહે છે, ‘શિશિર કોઈ દિવસ ડેડલાઈન નથી ચૂક્યાથોડા સમય પહેલાં ભાવનગરમાં મારા નણંદની દીકરીએકતાના લગ્ન હતાંઅમે  બધાં  લગ્ન એન્જોય કરતા હતાંઅને શિશિર એમનો લેખ લખવા બેઠા હતાંલેખકને ડેડલાઈન સાચવવી  પડે  બધાં લોકોને ખબર છે આથી કોઈ દિવસ તકલીફ નથી પડતીઘરે આવતાં લોકો પણ એડજસ્ટ થઈ જાય છેલેખનની દુનિયામાં નામ છે તેની ડેડલાઈનજાળવવા માટે કલમનું માન તો રાખવું  જોઈએ.’

રામાવત પરિવારનું ઘર મુંબઈના અંધેરી વિસ્તારમાં છેરસોડાં અને લખવાની નાની રુમ વચ્ચે ખુલ્લી બારી છેશિશિરભાઈનું લખવાનું ચાલતું હોય ત્યારેપણ  ખુલ્લી બારી કદીય બાધારૂપ નથી બની.

લેખક-સંપાદક-પત્રકાર  પછી સિરિયલના લેખક પણ ખરાં. ‘એક મહલ હો સપનોં કા’ અને બાલાજી ટેલિફિલ્મસ માટે ‘કહીં તો મિલેંગે’ સિરિયલ લખીપિંકીબહેન કહે છે, ‘શિશિર સિરિયલો લખતા ત્યારે હું કોઈને ખાસ  કહેતીહું એમને કહેતી કેસાસુ-વહુ વાળી સિરિયલો  લખશો પ્લીઝપણ જ્યારેએમણે આમીર ખાન પ્રોડક્શન સાથે કામ કર્યું ત્યારે હું બહુ  રાજી થયેલીમારા માટે  ગૌરવભર્યું સંભારણું છેમને ઓળખતાં તમામ લોકોને હું એકદમઅદબથી કહેતી કેશિશિર આમિરખાન પ્રોડક્શન સાથે કામ કરે છે.’

શિશિરભાઈ કહે છે, ‘લગાન’ ફિલ્મ સાથે જોડાયેલા સત્યજીત ભટકળે ‘સ્પિરિટ ઓફ લગાન’ લખ્યું પુસ્તકનો અનુવાદ મેં કર્યો રીતે મારે આમીર ખાન પ્રોડક્શન સાથે જોડાયેલી વ્યક્તિ સાથે ઓળખાણ થઈ  પછી ‘સત્યમેવ જયતે’ સિઝન- 2માં કામ લાગી પ્રોડક્શન હાઉસ સાથે જોડાવાથી મનેઘણું શીખવા મળ્યુંઅહીં બધાં  લોકો કામ સુપરલેટીવ ડિગ્રીમાં કરેપણ તમામ લોકોના વ્યક્તિત્વ એકદમ ડાઉન ટુ અર્થઆમીર ખાનથી માંડીને યુનિટસાથે જોડાયેલાં તમામ લોકો એટલાં સાલસ સ્વભાવના કે તમે કામ પૂરું કરીને રોજ ઘરે જાવ ત્યારે એક નવી વાત તમે શીખીને  ગયા હોય એવું લાગ્યાવિના  રહે.’ 

 માહિતી આપતી વખતે  પિંકીબહેન બોલ્યાં કેશિશિર નાટકોની વાત તો તમે કહી  નહીં....

શિશિરભાઈએ ‘તને રોજ મળું છું પહેલીવાર’, ‘જીતે હૈં શાન સે’, ‘હરખપદૂડી હંસા’, ‘હું ચંદ્રકાંત બક્ષી’ નાટકો લખ્યા છેશાંતનુ કહે છે, ‘ગુજરાતી ભાષાપ્રત્યેનો મારો લગાવ અકબંધ રહે  માટે મેં જૂહુની ઉત્પલ સંઘવી સ્કૂલમાં પ્રવેશ લીધો છેપપ્પાનું લખેલું નાટક ‘હું ચંદ્રકાંત બક્ષી’ બે વાર જોયું છેમને સૌથી વધુ ગમે છે.’

શિશિરભાઈ કહે છે, ‘ચંદ્રકાંત બક્ષી ઉપર લખેલું નાટક જ્યારે એમના દીકરી રીવાબહેને વખાણ્યું ત્યારે જાણે મને એવોર્ડ મળ્યો હોય એવું લાગ્યું હતુંહજુ એકપુસ્તક આવવાનું બાકી છે પુસ્તક છે તારક મહેતાની કૉલમ ‘દુનિયાને ઉંધા ચશ્મા’ વિશેપુસ્તકનું નામ છે ‘ઉંધા ચશ્માથી ઉલટા ચશ્મા’. કૉલમની સફરસિરિયલ સુધી કેવી રહી   વિશેની વાતને તેમાં આવરી લીધી છે.’



શિશિર રામાવતને લેખનની દુનિયામાં સૌથી વધુ તો નવલકથા લખવી ગમે છેશિશિર રામાવતની કલમથી જે પરિચિત છે એમને અને એમના ચાહકોનેતો  વાંચીને એમ થયા વિના નહીં રહે કેસારું થયું શિશિર રામાવત શબ્દોના અને સંવેદનાના એન્જિનિયર થયાઅંઘેરીમાં આવેલાં ઘરના કલરફુલકવર-ટેપેસ્ટ્રી સાથેના સોફા ઉપર બેસીને શિશિરભાઈ એક વાત કહીને વાત પૂરી કરે છે કેપિંકી જો જોબ  કરતી હોત તો મારી ક્રિએટિવિટીને ખીલવા માટેઆટલી મોકળાશ  મળતમારા શબ્દોની ઉડાનની સાચી સાથીદાર પિંકી છે.

0000000000000000000

જ્યોતિ ઉનડકટ


'ચિત્રલેખા' અને 'અભિયાન' જેવા ગુજરાતના અગ્રગણ્ય મેગેઝિન્સ તેમજ 'સંદેશ' અને 'મુંબઈ સમાચાર' જેવા અખબાર માટે વર્ષો સુધી વિવિધ જવાબદારી નિભાવી ચૂકેલા જ્યોતિ ઉનડકટ ગુજરાતી પત્રકારત્વમાં નોખું તરી આવતું નામ છે. ગુજરાતી વાચકોએ એમની 'વાચા' અને 'એકમેકના મન સુધી' જેવી કૉલમોને દિલથી વાંચી અને વધાવી છે. આ ઉપરાંત જ્યોતિ ઉનડકટે આપણને 'વાચા' અને 'તારે મન મારે મન' જેવા પુસ્તકોની પણ ભેટ આપી છે.
0000000

No comments:

Post a Comment